૧.મજાની ઇન્દ્રિયો
v નીચે આપેલી વિષયવસ્તુનો ઉપયોગ કરી તમારાં પાઠ્યપુસ્તકમાં એકમની વિગતો પૂર્ણ કરો.
Ø માણસ અને પ્રાણીઓમાં કઈ કઈ ઇન્દ્રિયો હોય છે ? તેમનાં કામ લખો .
· આંખ – જોવાનું કામ કરે
· નાક – સૂંઘવાનું કામ કરે
· કાન – સાંભળવાનું કામ કરે
· જીભ – સ્વાદ પારખવાનું કામ કરે
· ચામડી – સ્પર્શ અનુભવવાનું કામ કરે
Ø કીડી રસ્તો શોધવાનું કામ કેવી રીતે કરે છે ?
· કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર પોતાની સુંગધ છોડીને જાય છે . બીજી કીડીઓ એ સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે .
Ø કૂતરો શાં માટે જ્યાં – ત્યાં સૂંઘતો જોવા મળે છે ?
· કૂતરો પોતાનો વિસ્તાર જાતે બનાવે છે . તેઓના વિસ્તારમાં બીજા કૂતરાં આવે તો તેનાં પેશાબ અને મળની ગંધ પરથી જાણી શકે છે .
Ø ગમતી સુંગધ – ફૂલોની સુંગધ , અગરબત્તીની સુંગધ , શાકના વઘારની સુંગધ , ભીની માટીની સુંગધ , અત્તરની સુંગધ
Ø ન ગમતી સુંગધ – ગટરની દુર્ગંધ , કાદવની દુર્ગંધ , મરેલા પ્રાણીની દુર્ગંધ , કેમીકલની દુર્ગંધ , સડેલા કચરાની દુર્ગંધ
Ø કયા પક્ષીઓ આપણા કરતા ચાર ગણું દૂર જોઈ શકે છે ?
· સમડી , ગરૂડ , ગીધ
Ø એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસે જાગે છે તે પ્રાણીઓ થોડા રંગ જોઈ શકે છે , જયારે રાત્રે જાગતા પ્રાણીઓ ફક્ત સફેદ અને કાળા રંગ જ જોઈ શકે છે .
Ø માણસથી મોટા કાન ધરાવતા પ્રાણીઓ – ગાય , ભેંસ , બકરી , હાથી , ઘોડો , જિરાફ , સસલું , હરણ
Ø માણસથી નાના કાન ધરાવતા પ્રાણીઓ – ઉંદર , ખિસકોલી , બિલાડી , વાંદરો
Ø કાન વગરના પ્રાણીઓ – ગરોળી , કાચબો , ચકલી , મોર , કબૂતર , પોપટ , સમડી , કાબર , દેડકો
Ø ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ જંગલી પ્રાણીઓને જોઈ કે તેમના ભયથી બીજાને સાવચેત કરવા અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે .
Ø માછલીઓ વિદ્યુતસંકેત દ્વારા ચેતવણી આપે છે .
Ø દરિયાઈ પ્રાણી ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ – અલગ પ્રકારના અવાજો કરે છે .
Ø વ્રુક્ષ પર રહેતું સ્લોથ પ્રાણી આશરે અઢાર કલાક વ્રુક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે . તે લગભગ વ્રુક્ષો પર રહીને જ પર્ણો ખાઈ લગભગ ૪૦ વર્ષનું જીવન જીવે છે .
Ø વાઘ વિશેની માહિતી – તે રાત્રે આપણા કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે . તેની મૂછો હવામાં ધ્રુજારી અને હલનચલન અનુભવી શકે છે . તેની ગર્જના ૩ કિમી દૂર સુધી સંભળાય છે . વાઘ તેના વિસ્તારને પેશાબની નિશાની કરી અલગ પડે છે .વાઘના કાન અલગ – અલગ દિશામાં ફરી શકે છે . તેની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર હોય છે કે તે પાંદડા અને ઘાસના અવાજ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પડી શકે છે .
Ø કેટલાક પ્રાણીઓના શિકાર તેમના શરીરના અંગો માટે થાય છે . જેમકે
· હાથીને તેના દાંત માટે
· ગેંડાને તેના શીંગડા માટે
· વાઘ , મગર , સાપને તેની ચામડી માટે
· કસ્તુરીમૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે
Ø પ્રાણીઓની રક્ષા માટે સુરક્ષિત જંગલ વિસ્તાર
· ઉત્તરાખંડમાં ‘જીમ કોર્બેટ નેશનલ પાર્ક’
· રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ‘ઘાના’
· ગુજરાતમાં ‘ગીર રાષ્ટ્રીય ઉદ્યાન’ , ‘કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન’ , ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન’ , ‘વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન’
-------------વિપુલભાઈ પટેલ, મ.શિ. માલીસરાવાંઢ પ્રા.શાળા, ભીમાસર